Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
ઐશ્વર્યાની ડિલીવરીના કવરેજને લઈને ગુસ્સે ભરાયા અમિતાભ!

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને મીડિયામાં એશના બાળકના જન્મથી મીડિયાને દૂર રાખવાના રિપોર્ટ અંગે પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો. તેઓએ આવી રિપોર્ટને દૂર્ભાવનાપૂર્ણ બતાવી હતી.

થોડા સમય પહેલાં જ રિપોર્ટ આવ્યો હતો કે, અમિતાભ બચ્ચને માહિતી અને પ્રસારણ મંત્રાલયને અનુરોધ કર્યો હતો કે, એશની ગર્ભાવસ્થાને લઈને મીડિયા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે.

બિગ બીએ ટ્વિટર પર આ વાતને હાસ્યાસ્પદ અને દૂર્ભાવનાપૂર્ણ અને ખોટી ગણાવી હતી. બિગ બીએ ટ્વિટર પર એક સીરિઝ લગાવી દીધી હતી.

@ હા, હા મુંબઈના એક અંગ્રેજી અખબારે પૂછ્યું કે, શું મેં માહિતી અને પ્રસારણ મંત્રાલયને એશની ડિલીવરીના કવરેજથી મીડિયાને દૂર રાખવાનો આગ્રહ કર્યો છે. શું બકવાસ છે.

@ આ મીડિયા અને આઈ બીનો કેસ છે. મારો આવો કોઈ જ ઈરાદો નહોતો અને બીજું શું આઈબી મારી વાત સાંભળે ખરાં કે....

@ રાહ જુઓ...કાલે જ મને એક ટીવી ચેનલના પત્રકારનો મેસેજ આવ્યો હતો અને તેનો ઈશારો હતો કે, આ બધુ ઈલેક્ટ્રોનિક મીડિયાએ કરાવ્યું છે

@ પરંતુ...ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દર બીજા દિવસે આ પ્રકારની હાસ્યાસ્પદ, દૂર્ભાવનાપૂર્ણ અને ખોટા આરોપો મારી પર લાગતા હોય છે..

નોંધનીય છે કે, ઐશ્વર્યા રાયના આવનાર બાળકને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જેને લઈને બચ્ચન પરિવાર ગુસ્સામાં છે. આ દરમિયાન ન્યૂઝ ચેનલ્સ પર દબાણ વધ્યું છે કે, તેઓ સેલિબ્રિટીના સંબંધમાં ન્યૂઝ આપતી વખતે કેટલીક સાવધાનીઓ રાખે.

ઐશ્વર્યાની ડિલીવરીને લઈને પાંચ નવેમ્બરના રોજ બ્રોડકાસ્ટ એસોસિયેશન ઓફ ટેલિવિઝન જર્નાલિસ્ટે એક ગાઈડલાઈન જાહેર કરી છે.